પપ્પા and પપ્પુ!!!

પપ્પા: "મારી ઇચ્છા છે કે હું કહું તે છોકરી સાથે તું લગ્ન કર."
પપ્પુ: "પણ પપ્પા, હું તો મારી પસંદગીની છોકરી સાથે લગ્ન કરીશ."
પપ્પા: "પણ દિકરા, હું જે છોકરીની વાત કરું છું તે બિલ ગેટ્સની દિકરી છે."
પપ્પુ: "પપ્પા, યુ આર ગ્રેટ, હું ક્યાં કોઈદી આપની આજ્ઞા અવગણું છું!"
પપ્પા બિલ ગેટ્સને મળવા જાય છે...
પપ્પા: "હું તમારી દિકરી માટે માંગું લઈને આવ્યો છું."
બિલ ગેટ્સ: "પણ મારી દિકરીને પરણાવાની હજી ઘણી વાર છે."
પપ્પા: "પણ આ મુરતિયો વિશ્વ બેંકનો વાઈસ પ્રેસિડન્ટ છે!"
બિલ ગેટ્સ: "ઓહ! એમ વાત છે તો કરો કંકુના.."
છેવટે પપ્પા વિશ્વ બેંકના પ્રેસિડન્ટને મળવા જાય છે....
પપ્પા: "વાઈસ પ્રેસિડન્ટની પોસ્ટ માટે એક યુવાનની ભલામણ લઈને આવ્યો છું."
પ્રેસિડન્ટ: "પણ મારી પાસે જરુરત કરતાં વધારે વાઈસ પ્રેસિડન્ટ છે..."
પપ્પા: "પણ આ યુવાન બિલ ગેટ્સનો જમાઈ છે."
પ્રેસિડન્ટ: "તમારે આ વાત પહેલે કરવી જોઈતી'તી!"
મોરલ ઑફ ધ સ્ટોરી: તમારી પાસે કંઇ ન હોય તો પણ તમે તમને જે જોઈએ તે મેળવી શકો છો, તમારો અભિગમ હકારાત્મક હોવો જોઈએ

ભૂલ

અમારી ભૂલ એ એક જ કે એને ધારવા બેઠા,
નિરાકારી નિરંજન રૂપને આકારવા બેઠા.

દલીલો પર નથી નિર્ભર છતાં એના જ ટેકા લઈ,
જગતના મૂળ એવા તત્વને આધારવા બેઠા.

રમત પ્રારંભ થાવાની શરતને પાળવા માટે,
અમે જિતાય એવી બાજીઓ પણ હારવા બેઠા.

બધાયે ભાવ અંવેદન તરલ પાણી હવા જેવા,
અમે લઈ પેન કાગળ શબ્દને કંડારવા બેઠા.

નરી નકરી સરળતા હાથતાળી દઈને ચાલી ગઈ,
અમે શાસ્ત્રો પ્રમાણે જિંદગી સંસ્કારવા બેઠા.

આજના વિદ્યાર્થીઓ!!!

[] આજના વિદ્યાર્થીઓને પરીક્ષાઓ હિન્દી ફિલ્મોનાં ટાઇટલ્સ જેવી લાગે છે,,,
એક્ઝામ=કલયુગ, એક્ઝામિનર= કાલિયા, પેપર= પહેલી, સપ્લીમેન્ટરી= કોરા કાગઝ, માર્ક્સ= અસંભવ, કોપી= અકસર, પાસ= અજુબા,,,,,,
[] સી.એ થએલી છોકરીને છેડવી નઇ, કારણ એ છંછેડાશે તો તમને કેવી કેવી સંભળાવશે?
‘સાલે બાઉન્સ ચેક, ધરતી પે લાયેબિલીટી, પૈદાઇશી લોસ, ફાલતુ કા સન્ડ્રી એક્ષપેન્સ, ઘટતી હુઇ પેટી કેશ, અક્કલકા સ્ટાન્ડર્ડ ડિડક્શન, એક ઝાપટ મારુંગી તો બેલેન્સ સીટ ટેલી નહીં હોગી ઔર રિફંડ મેં અપને દાંત મિલ જાએંગે,,,,
[] ખાંડના ભાવ વધી ગ્યા છે, શરદ પવાર કહે છે કે લોકોએ ખાંડનો ઉપયોગ ઘટાડી દેવો જોઇએ, કોલેજનાં છોકરાઓ રાહ જોઇને બેઠા છે કે શરદ પવાર ક્યારે કપડા મંત્રી બને,,,,
[] પહેલા હું ચા ગાળવાની ગળણીયો વેચતો’તો પણ સ્વાઇન ફ્લુનો વાવર શરૂ થયો કે તરત મેં મ્હોં પર બાંધવાની પ્લાસ્ટીકની ઝીણી જાળી વેચવાનું ચાલુ કર્યુ,,,, ને માનશો! હાલ સારી એવી કમાણી થાય છે,,,,
[] સ્વાઇન ફ્લુ શરૂ થતાં લોકો નાક ઉપર રૂમાલ બાંધતા થઇ ગ્યા ને એમાં પણ ચિત્ર-વિચિત્ર ડીઝાઇનો વાળા રૂમાલ નીકળ્યા, મેં ભાજપનું ‘કમળ’ અને કોંગ્રેસનો ‘પંજો’ તેમજ અન્ય ડીઝાઇનોવાળા રૂમાલ બનાવ્યા અને મારો ધંધો ખૂબ જામી ગ્યો,,,,,
[] સ્વાઇન ફ્લુથી બચવા મેં મારી પત્નીને મ્હોં પર બૂકાની બાંધીને જ બહાર જવા સમજાવી,,,,,, ને મને ખૂબ ફાયદો થઇ ગ્યો, બૂકાનીને કારણે એ બહાર જઇ ઠંડા પીણા, ગંદા પાણી-પૂરી ખાતી બંધ થઇ ગઇ ને મારા પૈસાની બચત થઇ,,,,,,
[] અગાઉ થીએટરમાં ફિલ્મ જોવા જતા ત્યારે આગલી હરોળમાં બેઠેલા છોકરા-છોકરીઓ એકબીજાને ગાલ પર ‘બકી’ કરતા, ચુંબનોની વર્ષા વરસાવતાને પાછળ બેઠેલાઓ એ જોઇ પરેશાન થઇ જતા, સ્વાઇન ફ્લુ ચાલુ થતાં ,,,,,,હવે એ લોકો પણ રૂમાલ બાંધીને આવે છે ને અગાઉના ગાંડાવેળા બંધ થઇ ગ્યા,,,,,,,
[]છગન કુતરા ની પુછડી માં પાઇપ ભરાવી રહ્યો હતો.
મગનઃ અલ્યા છગન કુતરા ની પુછડી કોઇ દિવસ સીધી ના થાય.
છગનઃ મૂરખ, કૂતરા ની પુછડી સીધી નથી કરી રહ્યો, હું તો પાઇપ વાળી રહ્યો છુ.

વિજયઃ મેરે પાસ ગાડી હૈ, બંગલા હૈ પૈસા હૈ, તુમ્હારે પાસ કયા હૈ ?
રવિઃ મેરે પાસ ભી ગાડી હૈ, બંગલા હૈ પૈસા હૈ, તુમ્હારે પાસ કયા હૈ ?
ડાયરેકટર વચ્ચે પડી ને બોલ્યો તો કમીનો માં કીસકે પાસ હૈ રે...
[] એક મજેદાર એસએમએસ છે કે જેને ઉપરથી નીચે સુધી વાંચી લીધા પછી નીચેથી ઉપર સુધી વાંચો આખી સિચ્યુએશન ઉંધી થઇ જશે, [સગાઇ પછીનું દ્રષ્ય]
પુરૂષ- આહા! આ દિવસની!!!!

કોલેજકી ગલિયોંમેં!!!

[] કોલેજકી ગલિયોંમેં અજીબ ખેલ હોતા હૈ, ક્લાસમેં બૈઠે બૈઠે દિલોંકા મેલ હોતા હૈ, નોટ્સકી જગા લવ-લેટર એક્સચેન્જ હોતા હૈ,,,, ઇસીલિયે ‘આશિક’ હંમેશા ફેઇલ હોતા હૈ,
[] દિકરો- બાપા, હું પાસ થાંઉ તો?, બાપા- તને ‘પલ્સર’ લઇ આલીશ, ફરવા માટે.
દિકરો- અને ફેલ થયો તો?, બાપા- ‘રાજદૂત’ લઇ આલીશ, દૂધ વેચવા માટે,,,,
[] કલેક્ટર બનના હૈ તો એએસ પઢો, ડોક્ટર બનના હૈ તો એમબીબીએસ પઢો, લોયર
બનના હૈ તો એલએલબી પઢો ઔર બેવકૂફ બનના હૈ તો જેજે [જોક્સ-જંક્શન] પઢો,,,,
[] એક્ઝામમેં,,,,,અગર પેપર હાર્ડ લગે,,,,,કુછ સમજમેં ના આયે,,,,તો 1 ગહરી સાંસ લો,,,,,
ઔર જોર સે ચિલ્લાઓ,,,,’કમીનોંઓઓઓઓ,,,,અગર ફેલ હી કરના હૈ તો એક્ઝામ હી
ક્યું લેતે હો?
[] સારે લેક્ચર હમ ભર ભર કે જીયે, એક બન્ક હમેં અબ તો કરને દો. સારે સેમિસ્ટર રટ
રટ કે મરે, એક પાર્ટી હમેં અબ તો કરને દો. ગિવ મી સમ ગર્લફ્રેન્ડ, ગિવ મી સમ પ્યાર,
ગિવ મી અનધર ચાન્સ, આઇ વોન્ટ ટુ ‘ફેઇલ’ ઇન એક્ઝામ,,,,
[] સન્તા એક્ઝામ આપવા ગ્યો, એણે એક્ઝામિનરને પૂછ્યું, ‘સર, આન્સરસીટ કે પહલે પન્ને
પર ક્યા લિખું?’
‘લિખો, ઇસ ઉત્તરવહી કે સારે ઉત્તર કાલ્પનિક હૈ ઔર ઉન કા કિસી ભી પાઠ્યપુસ્તક,
અભ્યાસક્રમ, પ્રશ્નપત્ર યા પ્રશ્ન સે કોઇ લેના દેના નહીં હૈ’,,,,
[] બાપાએ છોકરાને ધમકી આપી, ‘જો આ વખતે તું પરીક્ષામાં નાપાસ થયો તો મને
‘બાપા’ ના કહેતો’,,, છોકરો રિઝલ્ટ લઇને ઘેર આવ્યો, બાપાએ પૂછ્યું, ‘શું થયુ’?
છોકરો- ‘મારુ દિમાગ ના ખાઓ, ચિમનલાલ’,,,,
[] છોકરીઓ એક્ઝામનું પેપર લખતી વખતે કઇ 7 ચીજો કરે છે?
[1] લખે છે [2] લખે છે [3] લખે છે [4] લખે છે [5] લખે છે [6] લખે છે [7] લખે છે
છોકરાઓ પેપર લખતી વખતે કઇ 7 ચીજો કરે છે?
[1] ક્લાસમાં બેઠેલી છોકરીઓની સંખ્યા ગણે છે, [2] યુવાન લેડી સુપરવાઇઝરને
ધ્યાનથી જુએ છે, [3] પેપર પર મોર્ડન આર્ટ દોરે છે, [4] પેન્ટ અને સર્ટમાં છૂપાવેલી
કાપલીઓની જગા અદલ બદલ કરે છે, [5] આખી રાત ઉજાગરો કરવા છતાં કશું વંચાયું
નઇ એ બદલ દોસ્તોને મનમાં ગાળો આપે છે, [6] આ પેપરમાં એટીકેટી આવે ત્યારે કેવી
નવી રીતે ચોરી કરવી એના પ્લાન ઘડે છે, [7] એક કલાકમાં પેપર લખાઇ જશે પછી
બાકીનાં બે કલાક ક્યાં ટાઇમપાસ કરીશું એ વિચારે છે,,,,,

ગોલીબાર!!!

"નથી ઘરમાં ચલણ કોઈનું, મિસિસ ઘરની ગવર્નર છે,
ઈશારે એ નચાવે છે, પતિ જાણે કે બંદર છે.

ન લોટો છે, ન થાળી છે, બગલમાં એક બિસ્તર છે,
ભરોસો રાખવો ક્યાંથી કે ફરતારામ મિસ્ટર છે.

લપેડા પાઉડરના છે, ઠઠારો પણ પરી જેવો,
હકીકતમાં મને દેખાય છે કે એ છછુંદર છે.

હું પડખાં ફેરવીને રાત જાગીને વીતાવું છું,
નથી કોઈ પ્રેમનો દર્દી, પરંતુ ઘરમાં મચ્છર છે.

ટકે સિંહણનું દૂધ, તો માનજો છે પાત્ર સોનાનું,
ટકે ના, તો નથી પાતર, સમજો એ કપાતર છે.

તિજોરી તર ભરી છે ત્યાં નથી ખાનાર કો’ બચ્ચું,
ગરીબોના ઘરે ખાનાર બચ્ચાંઓનું લશ્કર છે.

તમે માનો ન માનો એ બધાં છે મન તણાં કારણ,
શ્રદ્ધાથી જો ભજો તો દેવ, નહિતર એક પથ્થર છે.

જીવન છે આમ તો શાયરનું, પણ કડકાઈ નાણાંની,
હકીકત છે કે, બેકારી જીવનમાં એક ફાચર છે.

કદી સારું નિહાળું તો ગ્રહી લઉં છું તુરત દિલમાં,
ગણો તો આમ ‘ગોલીબાર’ પણ પાકો નિશાચર...

"ધડકન"

કરવી તો છે, અમારે પણ બધી વાતો,
ક્યાં થાય છે, હવે આપણી મૂલાકાતો.

વાતોમાં, તમે ન કરતા મારી વાતો,
વાતનું કરી વતેસર, લોકો કરશે વાતો.

કહો કોને સંભળાવું, હવે મારી વાતો,
અહી કોણ છે, જે સમજે મારી વાતો.

હોઠોની પાછળ, ગુંગળાય છે વાતો,
સમયની કેવી છે, કાતિલ આ કરવતો.

મણકા બનીને, નયનથી ટપકે વાતો,
મારી અદામાં, તમારી માળા જપતો.

કહી દઉં હવાને, હું આપણી તે વાતો,
સાંભળી હવા પાસેથી, મને યાદ કરજો.

તમારા પ્રશ્નોનું નિરાકરણ - ભગવાન તરફથી!!!

ભાઈશ્રી/બહેનશ્રી,

હું ભગવાન –

આજે તમને બે શબ્દો લખવા માંગું છું. ધ્યાનથી વાંચજો. આજે તમારી જિંદગીના બધા જ પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય તેવો રસ્તો તમને બતાવવાનો છું. એટલું યાદ રાખજો મારે તમારી મદદથી કોઈ પણ જગ્યાએ જરૂર પડવાની નથી. હું તમારી પાસે સીધો આવવાનો પણ નથી. તમારે ફક્ત નીચેના મુદ્દાઓ યાદ રાખવાના છે અને એ મુજબ પાલન કરવાનો પ્રયત્ન કરવાનો છે :



[1] જિંદગી તરફથી એવી કોઈ સમસ્યા ઊભી થાય કે જે તમારાથી હલ ન થઈ શકે તો એને મારા નામની પ્રાર્થનાના પોસ્ટબૉક્સમાં મૂકી દેવી. એના ઉપર – ભગવાનને માટે – એવું અવશ્ય લખવું. એક વખત આ બૉક્સમાં સમસ્યા મૂક્યા પછી વારંવાર એને બહાર કાઢીને તપાસ્યા ન કરવું. એનું નિરાકરણ ચોક્કસ થશે, પણ હા ! મારા સમયે, તમારા સમયે નહીં !



[2] તમે ધંધાની કોઈ આફતમાં ઘેરાઈ જાવ તો મૂંઝવણ ન અનુભવશો. ફકત એવા માણસોને યાદ કરજો કે જેની પાસે ધંધો જ નથી.



[3] ટ્રાફિકમાં ક્યારેય પણ ફસાવ તો અધીરા ન થશો, એવા લોકોને યાદ કરજો કે જેને માટે કાર ચલાવવી એ એક પરીકથાની વસ્તુ જેવું હોય.



[4] તમારા શેઠ કે સાહેબ તમને ક્યારેક ખિજાય તો એવા માણસોનો વિચાર કરજો કે જેમના નસીબમાં કામ કે નોકરીમાં કામ કે નોકરી લખાયા જ ન હોય. જે સાવ બેકાર હોય.



[5] તમારો એકાદ રવિવાર કે રજા ખરાબ જાય તો દુ:ખી થવાને બદલે એવા લોકોનું સ્મરણ કરી લેજો કે જેને કુટુંબનું પેટ ભરવા માટે રોજેરોજ કપરી મજૂરી કરવી પડતી હોય. જેનો એક પણ રવિવાર રજાનો દિવસ જ ન હોય.



[6] ક્યારેક વાહન વગર ચાલવાનું થાય તો અફસોસના બદલે બંને પગે જેને પૅરાલિસિસ કે લકવો થયો હોય તેવી વ્યક્તિને યાદ કરજો. એમને એકાદ ડગલું પણ ચાલવા મળે તો એ લોકો કેટલો આનંદ પામે એનો વિચાર કરજો.



[7] તમારી જિંદગીએ તમને શું આપ્યું છે એવો વિચાર કદીકેય આવે તો એવા લોકોને યાદ કરજો જે તમારા જેટલી ઉંમરે પહોંચ્યા જ ન હોય. એ પહેલાં જ જેને મૃત્યુ આંબી ગયું હોય.



[8] કોઈ તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે, તમારું અપમાન કરે, તમને નુકશાન પહોંચાડે તોપણ ખુશ એ વાતથી થજો કે તમે એ વ્યક્તિ નથી !



[9] કોઈ દિવસ અરીસામાં એકાદ સફેદ વાળ જોઈ જાવ તો કૅન્સરથી પીડાતાં નાનાં બાળકો કે નાની ઉંમરની વ્યક્તિઓને યાદ કરજો કે જે પોતાને વાળ હોય તેવી આશા રાખતાં હોય.

અને છેલ્લે….

હું તમારા પ્રશ્નોનું નિરાકરણ કરીશ જ, વિશ્વાસ રાખજો પણ ત્યાં સુધીમાં જો તમને આ બાબતો ગમી હોય તો તમારા મિત્રોને સગાંવહાલાંને મોકલજો અને એમનો દિવસ પણ સુધારજો અને એ લોકો પણ નિશ્ચિંત થઈ જાય તેવું કરજો.



એ જ લિ,
ભગવાનની આશિષ.

માતા-પિતાની છત્રછાયામાં!!!

હયાત માતા-પિતાની છત્રછાયામાં, વહાલપનાં બે વેણ બોલીને નીરખી લેજો…

હોઠ અડધા બીડાઇ ગયા પછી, ગંગાજળ મૂકીને શું કરશો…

અંતરના આિશવૉદ આપનારને, સાચા હ્રદયથી એક પળ ભેટી લેજો…

હયાતી નિહ્ હોય ત્યારે નત મસ્તકે, છબીને નમન કરીને શું કરશો…

કાળની થપાટ વાગશે, અલિવદા એ થઇ જશે, પ્રેમાળ હાથ પછી તમારા પર કદી નહી ફ્રે…

લાખ કરશો ઉપાય, એ વાત્સલ્ય લહાવો નિહ્ મળે, પછી દીવાનખંડમાં તસ્વીર મૂકીને શું કરશો…

માત-િપતાનો ખજાનો ભાગ્યશાળી સંતાનને મળે, અડસઠ તીરથ એમનાં ચરણોમાં, બીજાં તીરથ ના ફરશો…

સ્નેહની ભરતી આવીને ચલી જશે પલમાં,પછી કીનારે છીપલા વીણીને શું કરશો…

હયાત હોય ત્યારે હૈયું એમનું ઠારજો, પાનખરમાં વસંત આવે એવો વ્યવહાર રાખશો…

પંચ ભૂતમાં ભળી ગયા પછી આ દેહનાં અિસ્થને ગંગામાં પધરાવીને શું કરશો…

સ્ર્વ બનીને ઘડપણની લાકડી તમે બનજો, હેતથી હાથ પકડીને ક્યારેક તીથૉમાં સાથે ફરજો…

માતૃદેવો ભવ, િપતૃદેવો ભવ સનાતન સત્યછે, પછીસમનામ સત્ છે બોલીને શું કરશો…

પૈસા ખચૅતાં સઘળુ મળશે, માતા-િપતા મળશે નિહ્, ગયેલો સમય નિહ આવે, લાખો કમાઇ ને શું કરશો…

પ્રેમ હાથ ફેરવીને ‘બેટા’ કહેનાર નિહ્ મળે, પછી ઉછીનો પ્રેમ લઇને, આંસું સારીને શું કરશો…

- દિલિપ્ કુમાર શાહ

વસિયતનામું!!!

પ્રિય મિત્રો,




આપણા નશ્વર દેહનો ભરોસોં નથી,તે સત્ય કોણ નથી જાણતું ? તેમાંય કોઈપણ વ્યક્તિનાં, સંતાન ગમે તેટલાં સમજુ કે સંસ્કારી હોય પરંતુ, મોટાભાગે એમ જોવા મળે છેકે, તે વ્યક્તિના સ્વધામ ગયા બાદ, પંદર દિવસમાંજ, તેના સંતાનો, તમામ મર્યાદા ત્યજીને, તે વ્યક્તિએ પાછળ છોડેલી (કે છાંડેલી? ) મિલકતના ભાગ અંગે, અત્યાર સુધી, ઘરની ચાર દિવાલોમાં, સચવાયેલી આબરૂને, જાહેરમાં ફાડીને લીરેલીરા કરે અને સમાજ બધો તમાશો નિહાળે..!!



સહુ કોઈ માને છેકે, યોગ્ય વીલ કર્યા વગર, અચાનક મૃત્યુ થયાના કિસ્સામાં, પાછળથી,મિલકતના વારસદારો વચ્ચે અનેક પ્રકારની કાયદાકીય, માનસિક અને સામાજીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે. આજ મિલકત છેવટે કૉર્ટ-કચેરીના ચક્રવાતમાં ફસાઈને છેવટે કોડીની કિંમતે, કોઈના હાથે જઈ પડે છે.



આ બાબતનું તાજેતરનું શ્રેષ્ઠ ઉદાહરણ,ભારતના વિશાળ ઔદ્યૌગીક ગૃહ, બિરલા કૉર્પોરેશનના સ્વ.ચૅરપર્સન શ્રીમતીપ્રિયવંદા બિરલાએ સન-૨૦૦૪માં, કરેલા વીલના વિવાદનું છે. સ્વ.પ્રિયવંદા બિરલાની કુલ સ્થાવરજંગમ મિલકત રૂપિયા- ૫૦૦૦/ કરોડ (Rs. 50 billion ) ની છે.



સ્વ.પ્રિયવંદા બિરલાએ, આ તમામ મિલકત, સ્વ.રાજેન્દ્ર એસ. લોધાને ( દસકાઓથી તેમના ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ, પ્રેસીડન્ટ- Ficci. ; died October 3, 2008 ) આખરી વીલ દ્વારા આપી દેતાં, આખા દેશમાં હોબાળો મચ્યો હતો.



આજ કારણસર, પોતાની હયાતીમાંજ, મિલકત કે દેવું, બંને પરિસ્થિતિમાં,પોતાનાં સંતાનોને ઝઘડતા અટકાવવા,દરેક વ્યક્તિએ, રજિસ્ટર્ડ વસિયતનામું, તૈયાર કરીને, યોગ્ય વ્યક્તિ, વકીલ કે, બેંકના લૉકરમાં સુરક્ષિત મૂકવું જોઈએ.



વસિયતનામું - will



વસિયતનામું એટલે, કોઈ એક વ્યક્તિએ, પોતાની હયાતીમાં, એક અથવા એકથી વધારે વ્યક્તિઓની તરફેણ કે વિરૂદ્ધમાં તૈયાર કરેલો, (S.59 of Indian Succession Act મુજબ) એક એવો કાયદેસરનો દસ્તાવેજ, જે તેના મૃત્યુ બાદ, સ્થાવર-જંગમ મિલ્કત કે દેવાંની, વસિયતનામાં જણાવ્યા પ્રમાણે, વહેંચણી કરવા, તેમના નામે ટ્રાન્સફર કરવા, સરકારી કાયદા દ્વારા માન્ય ગણાય છે.



ટૂંકમાં, વીલ એટલે, કોઈ વ્યક્તિના મૃત્યુ બાદ, તેની ઈચ્છા અનુસાર, સ્થાવર-જંગમ મિલકતની વહેંચણી, કરવા માટે કાયદેસર માન્યતા પ્રાપ્ત દસ્તાવેજ.

વીલને, `મરણોપરાંત-પત્ર` અથવા `મૃત્યુપત્ર` પણ કહે છે.



આ માટે આપણા દેશમાં, હિંદુ, મુસ્લિમ, શીખ,ખ્રીસ્તી,પારસી, બુદ્ધિસ્ટ, વગેરે માટે અલગ-અલગ પ્રાવધાન છે. જોકે, S.12 of the Indian Contract Act અનુસાર,૧૮ વર્ષથી નીચેની વયના સગીરને, વીલ બનાવવાનો હક્ક નથી. જોકે, S.113 of Indian Succession Act, 1925 મુજબ, અજન્મા બાળકને પણ વીલનો લાભાર્થી ગણવામાં આવતો નથી.



વસિયતનામું શા માટે ? કારણોઃ-



પુખ્ત વયની, સમજદાર દરેક, વ્યક્તિ એમ ઈચ્છેકે, તેણે પોતાની હયાતીમાં, અત્યંત મહેનત કરીને જે કાંઈ મેળવ્યું છે, તેની વહેંચણી અને યોગ્ય વહીવટ પોતાના મૃત્યુ બાદ, પોતાની ઈચ્છા પ્રમાણે, ન્યાયપૂર્ણ ઢંગથી થાય, પણ તે ત્યારેજ શક્ય બનેકે, આ વ્યક્તિએ મૌખિકને બદલે, પોતાની ઈચ્છાઓ, તદ્દન કાયદેસરરીતે, લેખીતસ્વરૂપે તૈયાર કરીને રાખી હોય.



* આપણી મિલકત અંગે આપણે રજેરજ માહિતી ધરાવતા હોઈ, આપણી ઈચ્છા પ્રમાણે તેનો વહિવટ કરવા.



* મૃત્યુ બાદ, અકારણ કાનૂની ગૂંચવણોમાંથી, બચવા માટે.



* વીલમાં ઉલ્લેખ કરેલી મિલકતોના,વિલંબ વગર, સરળતાથી, હસ્તાંતરણ માટે.



* મિલકતના લાભાર્થીઓમાં, ઉભી થતી ગેરસમજને ટાળવા માટે.



*આ લાભાર્થીઓના સંભવિત ઝઘડાને ટાળવા માટે.



Last Wills - Last Laughs



કેટલીક વ્યક્તિઓ પોતાના વીલને અમર બનાવવા,તેમાં કેટલાંક ખાસ વાક્ય લખે છે, ચાલો આવાં કેટલાંક ` Last Wills - Last Laughs નાં hilarious quotations ` માણીએ.



*(ગુસ્સો) " મારી ઉપપત્ની, જેને હું કાયમ, મારા વીલમાં સ્થાન આપવાનું, કાયમ વચન આપતો હતો, ફક્ત તેનેજ છેલ્લા , ` જે શ્રીકૃષ્ણ વહાલી ...??`..!!"



* (બદલો) " મારા ખાતામાં પડેલી, રૂપિયા એક કરોડની રકમ, મારી પત્નીને, માત્ર શરાબ અને જુગારમાંજ ખર્ચ કરવાની શરતે આપવી,જેણે મને, આમ કરતાં આખી જિંદગી ટોક-ટોક કર્યો છે."



*(બેવફાઈ) " મારી સંપત્તિનો ૯૯ % હિસ્સો મારા વફાદાર કૂતરા ટોમીને અને ૧ % હિસ્સો મારી બેવફા પત્નીને."



*(ગાંડપણ) " મારી સમગ્ર સંપત્તિથી, કાંકરિયા તળાવને વર્ષમાં એકવાર, શરાબથી ભરીને, તેમાં દરેકને નહાવાની છૂટ આપવામાં આવે..!!"



*(મર્મભેદી) " મારી તમામ સંપત્તિ, કૉલેજોને દાનમાં આપી, મારાં ભણેલાં છતાં અભણ સંતાનોને દરેકને, રૂપિયો- ૧/ શબ્દમાં એક,વારસામાં આપવો, જેમણે મને જીવનમાં, ક્યારેય વહાલ નથી કર્યું."



* (વિચિત્ર) " હું નિસંતાન છું, મારી રૂપિયા ૧૦૦/- કરોડની સંપત્તિ, કોકિલાબહેનના ગરીબ દીકરા મૂકેશ અને અનિલને પરસ્પર કૉર્ટકેસ લડવા, વકીલ ફી ચૂકવવા આપવા."



*(રોષ) " હું વાંઢો છું, મારી સંપત્તિનો ૫૦ % હિસ્સો, રાહુલ મહાજનને, વારંવાર સ્વયંવર કરવા અને ૫૦ % હિસ્સો સ્વયંવર બાદ ત્યક્તા હોય તેવી કન્યાઓના ભરણપોષણ માટે આપવો."



વીલમાં ઉલ્લેખ થતી નોંધપાત્ર બાબતોઃ-



*Testator- વીલ બનાવનાર વ્યક્તિ અંગે તમામ જાણકારી.



*Estate-સ્થાવર જંગમ મિલકતઃ- સ્થાવર મિલ્કત, બેંક ઍકાઉન્ટ્સ, નાણાંકીય રોકાણો, વીમા પોલીસીઓ, તથા રોકડ ભંડોળ.



*Executor- વીલનો અમલ કરાવનાર વહિવટદાર.૯કાયદેસર નીમી શકાય છે.)



*Legatee / Beneficiary- વારસદાર



*Probate - મૃત્યુ પામનાર વ્યક્તિની ગેરહાજરીમાં, સ્વર્ગસ્થના વીલને અમલમાં મૂકવા,લાભાર્થીઓના તમામ દાવાઓની ચકાસણી કરીને,વીલને લાગુ

કરવા, કરવામાં આવતી કાનૂની પ્રક્રિયા. (સંબંધિત કૉર્ટ દ્વારા માન્યતાપ્રાપ્ત વીલ.)



*ભારતીય વારસાહક્કના કાયદા-૧૯૨૫, અનુસાર, વીલ બનાવનાર વ્યક્તિની હેરહાજરીમાં (મૃત્યુ બાદ) વહિવટદાર વીલનો અમલ કરાવી શકે છે.

(સગીર, બીનભરોસાપાત્ર વ્યક્તિઓ, માનસિક અસ્વસ્થ,ઉપરાંત વીલના લાભાર્થીઓ, વહિવટદાર થઈ શકતા નથી.)



*બીલ બનાવનારના મૃત્યુના, સાત દિવસ વિત્યા બાદ, પ્રોબૅટની મંજૂરી આપી શકાય છે.



* વહિવટદારની નિમણૂંક કર્યા વગર, વીલ બનાવનાર ગુજરી જાય તો, લાભાર્થીઓ સંબંધિત કૉર્ટમાં, એક અરજી કરીને, પ્રૉબેટ મંજૂર કરાવી શકે છે.



વીલનો નિયત ઢાંચો અને ઔપચારીકતાઃ-



* Form of a Will - ચેકંચેકા કર્યા વગરનું સાદા કાગળ પર કરેલું લખાણ.



*Language of a Will - વીલ લખનારની ઈચ્છાને સ્પષ્ટ વ્યક્ત કરતી કોઈ પણ ભાષા.



*Stamp Duty - વીલ બનાવવા, સ્ટેમ્પ ડ્યુટી કે સ્ટેમ્પ પેપરની જરૂર નથી.



*Attestation - બે સાક્ષીની સહી.



*Registration - Under section 18 of the Registration Act મુજબ, રજિસ્ટ્રેશન ફરજિયાત નથી.



*Procedure for Registration - વીલને રજિસ્ટર્ડ કરાવવું હોયતો, સરકારી કચેરીમાં,The Indian Registration Act, 1908 મુજબ, રજિસ્ટ્રાર- સબ રજિસ્ટાર પાસે સાવ નજીવી ફી ભરીને, કરાવી શકાય છે. જોકે તે માટે વીલ લખનાર વ્યક્તિ તથા બંને સાક્ષીઓએ, જેતે અધિકારી પાસે રૂબરૂ હાજર રહેવું ફરજિયાત છે.



*Revocation & Amendment - લખેલું વીલ પોતાની હયાતીમાં ગમેત્યારે, સુધારી શકાય, પાછું ખેંચી શકાય કે રદ કરી શકાય,નવું બનાવી શકાય છે.



*Explanation I to S.59 of ISA મુજબ, હિંદુ પરિણીત સ્ત્રી,પોતાના જીવનકાળ, પોતાના નામે હોય તેવી મિલકતનું વીલ બનાવી શકે છે.



*Explanation II to S.59 of ISA મુજબ, બહેરા,મુંગા અને પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓએ, પોતે તેમની સંમતિથી વીલ લખાયું છે,તેથા તેમાં લખેલી વિગતોથી તેઓ પોતે અવગત છે,તેવી સાબિતી આપીને વીલ બનાવી શકે છે.



*Explanation III to S.59 of ISA મુજબ, માનસિક અસ્વસ્થ વ્યક્તિએ, અગાઉ માનસિક સ્વસ્થ હોય ત્યારે બનાવેલા વીલને માન્ય રખાય છે. તે સિવાય ના તમામ માનસિક રોગીઓનાં વીલ અમાન્ય ઠરે છે. આવાં કારણસર, વીલ માન્ય-અમાન્ય કરવા માટે, પુરાવા પુરા પાડવાની જવાબદારી, વીલ પડકારનારના શિરે રહે છે.



*દગા-ફટ્કાથી,જબરદસ્તીથી અને અનુચિત માનસિક દબાણ કરીને લખાવી લીધેલ વીલ અમાન્ય ઠરે છે.



*S.89 of ISA મુજબ, સંદિગ્ધ, અસ્પષ્ટ અને હાસ્યાસ્પદ વિગતો ધરાવતું વીલ અમાન્ય ઠરે છે. (દા.ત. તાજમહેલ કોઈ, કોઈને વીલમાં લખી આપે??)



*S. 124 of ISA મુજબ, અશક્ય,નિરાધાર વીલ અમાન્ય ઠરે છે.દા.ત. ચંદ્ર કે મંગળ પર વેચાણ રાખેલો પ્લોટ.



*S.127 of ISA મુજબ, અનૈતિક અને કાયદાને માન્ય ના હોય તેવી વિગતો ધરાવતું વીલ અમાન્ય ઠરે છે.



સામાન્ય - વીલના પ્રકારઃ-



*મૌખિક બોલીને લખાવેલું વીલ. ( નિરક્ષર અથવા પંગુતા કે અન્ય કારણે.)



* સ્વ હસ્તાક્ષરે જાતે લખેલું વીલ.



* નિર્ધારીત ફૉર્મેટમાં,વીલ લખનાર તથા સાક્ષીઓની સહી કરેલું.



* મૃત્યુના દાખલાની જરૂર ન પડે તે માટે,સાક્ષીઓની હાજરીમાં,તેમની સહીવાળું, સોગંદનામા દ્વારા તૈયાર કરેલું વીલ.



* નિર્ધારિત, કાયદેસર નક્કી કરેલા ફૉર્મેટમાં,સરકારમાન્ય નોટરી સમક્ષ, નોટરાઈઝ કરાવેલું, વીલ.



* ગુપ્તતા ધરાવતું વીલ.(મોટાભાગે મૃત્ય સુધી સીલબંધ વીલ.)



* અન્યોન્ય સંબંધ ધરાવતી વ્યક્તિઓ દ્વારા, અરસ-પરસ લાભાર્થી તરીકે કરી આપેલું વીલ.



* વસિયતનામાનો, વહિવટ કરવા કોઈ અજ્ઞાતને કરી આપેલું વીલ.( ચેરિટિ ટ્રસ્ટ, અજ્ઞાત વહિવટદાર.)



વીલ તૈયાર કરવા સરળ માર્ગદર્શનઃ-



સામાન્યરીતે, એમ માનવામાં આવે છેકે, બીલ બનાવવા હંમેશાં કોઈ વકીલની જરૂર પડે, પણ તેમ નથી.વીલ બનાવવું તે એક સાવ સરળ બાબત છે.

વીલ લખતા સમયે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.



* વીલ લખતા અગાઉ,એક કાગળ પર, વીલમાં ઉલ્લેખ થનાર વિગતોની, એક કાચી નોંધ તૈયાર કરવી.જેમાં તમારી સ્થાવર-જંગમ મિલકતના ભવિષ્યના

પ્લાનીંગ અંગેની વિગતો સામેલ હોય. ( પાકું વીલ લખ્યા પછી,આ નોંધ અવશ્ય ફાડી નાંખવી.)



* વીલ હાથ વડે ભૂંસાય નહીં તેવી શાહીથી લખી શકાય.( ટાઈપ કરેલું હોય તેવી ભલામણ છે.)



* સામાન્ય કિંમતની મિલકતના, વીલને કોઈજ સ્ટેમ્પ લગાવવાની કે રજિસ્ટર્ડ કરાવવું ફરજિયાત નથી.



* મોટી કિંમતની મિલકતના વીલને,મિલકતની માર્કેટ વેલ્યુનું પ્રમાણપત્ર મેળવીને, સારા વકીલ પાસે તૈયાર કરાવીને, તેનું રજિસ્ટ્રેશન કરાવવું જોઈએ.



* વીલમાં, મિલકતના, લાભાર્થીઓને, તમારી સાથેના સબંધથી (મોટો, નાની,દીકરો કે દીકરી) જેવા સંબોધનથી, ના સંબોધતાં, તેમના નામના સ્પષ્ટ ઉલ્લેખ સાથે, મળનાર લાભની સ્પષ્ટતા કરવી જોઈએ.



*વીલના સગીર લાભાર્થીને,તેના વહિવટદારે તે, પૂખ્ત વયના થાય ત્યારે, વીલ મુજબના લાભ સોંપી દેવાના રહે છે.



*વીમા કંપની-બેંક ખાતાં-શેર સર્ટીફીકેટ વગેરેમાં વારસદાર તરીકે ઉલ્લેખ,વીલ કરનારની હયાતીમાં જ કરી શકાય છે.જો તેમ કર્યું હોય તો બેંકખાતાનંબર-શેર સર્ટીફીકેટનંબર (કંપની) સાથે,વીલમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવો જોઈએ.



* વીલ બનાવ્યા બાદ તેજ સમયે, બે સાક્ષીઓની સહી કરાવવી આવશ્યક છે. આજ કાગળમાં, જેતે સાક્ષીઓનાં પૂરાં નામ-સરનામાં-ટેલીફૉન નંબર વગેરે, વિગતો લખવાનું ચૂકવું ન જોઈએ. (તા.ક. વીલની વિગતો, સાક્ષીઓને વંચાવવી ફરજિયાત નથી.)



* કોઈ અસાધ્ય શારીરિક,માનસિક બીમારીથી પીડાતા દર્દીના, વીલમાં સાક્ષી તરીકે, તેમની સારવાર કરનાર ડૉક્ટરની સહી લેવી, વધારે હિતકારક છે.



* વીલના લાભાર્થીઓને, સાક્ષી તરીકે લઈ શકાતા નથી.



* એકથી વધારે પાનાંનું વીલ હોય તો, વીલના દરેક પાનાં ઉપર, વીલ લખનાર તથા સાક્ષીઓએ સહી કરવી જોઈએ, જેથી પાછળથી વીલ સાથે ચેડાં થવાની, કે આ અંગે વિવાદ થવાની શક્યતા ના રહે.



*વીલ બનાવ્યા પછી,તેને બેંકના લૉકરમાં મૂકી, તેની એક કૉપી સીલબંધ કવરમાં,તમારા વિશ્વાસુ વકીલને આપી રાખવી જોઈએ.આ અંગેની જાણ ઘરનાં અંગત સદસ્યોને પણ કરવી જોઈએ.



* વીલ બનાવ્યા પછી તમારી હયાતીમાં, તેને દર નાણાંકીય વર્ષના અંતે, ફરીથી એકવાર ફેરફાર હોય તો નોંધવાનું રાખો.



* પતિ/પત્નીએ સંયુક્ત સહીથી બનાવેલા વીલના કિસ્સામાં બંને માંથી એકનું મૃત્યુ થાયતો, હયાત વ્યક્તિએ, વીલને ફરીથી સુધારવું જોઈએ આ વીલ જો અંતિમ હોય તો તેને `આ અંતિમ વીલ છે.તારીખ-વાર-સમય` લખીને તેમાં સ્પષ્ટતા સાથે, વીલના લેખના અંતે, છેક નીચે સહી કરવી જોઈએ.

(જે મૃત્યુ પામ્યું હોય તેનો ઉલ્લેખ કરવો જોઈએ તથા સુધારાના અંતે સાક્ષીઓની સહી ફરી એકવાર લેવી જોઈએ.આ માટે અગાઉના સાક્ષીજ હોવા જરૂરી નથી.)



* અગાઉ વીલ બનાવેલ હોય તો, અંતિમ વીલની તારીખ અગાઉનાં તમામ વીલ રદ કર્યાની, જાહેરાત અંતિમ વીલમાં કરવી જોઈએ.તેની જાણ સંબંધીત લાભાર્થીઓને પણ કરવી જોઇએ.



* અંતિમ વીલ બનાવ્યા છતાં, વીલ બનાવનાર પોતાની હયાતીમાં, વીલના લાભાર્થીઓને જાણ કર્યા વગર,પોતાની સ્વઉપાર્જિત મિલકતનો વહિવટ કરી શકે છે.



* અંતિમ વીલના સમયે, વીલમાં દર્શાવેલ, મિલકત પર કોઈ પણ પ્રકાર નો બોજો (લૉન,ટેક્ષ,વહિવટી સરકારી લેણું.) હોય તો તેનો ઉલ્લેખ કરીને તે બોજો ભરપાઈ કર્યા બાદજ, લાભાર્થીને તે મિલકતનો હક્ક મળે તેવો સ્પષ્ટ ઉલ્લેખ કરવો જોઈએ.



અમેરિકામાં સન- ૧૦૬૯ થી ૧૯૯૫. દરમિયાન, ચીફ જસ્ટિસ તરીકે ફરજ બજાવી ચૂકેલા, `Warren Earl Burger` (September 17, 1907 - June 25, 1995) ના વીલમાં,તેમની મિલકતનું વેલ્યુ સર્ટીફીકેટ અને દેવાંની ચૂકવણીનો ઉલ્લેખ ન હોવાથી, તેમની મિલક્તની કિંમતની આકારણી હજારો ડોલરમાં થઈ અને મિલકત કાનૂની ગૂંચવણમાં ફસાઈ ગઈ.



કેટલીકવાર, વીલ લખનારના ઈરાદા પળભરમાં બદલાઈ જતા હોય છે.ક્યારેક તેમાંથી રમૂજ પણ પેદા થાય છે. આવીજ એક રમૂજી વાત માણીએ.



એકવાર એક નવાસવા વકીલને ઘેર, આધેડ ઉંમરના (આશરે ૫૦ની વયના) વિધુર, નિસંતાન ભાઈ આવ્યા.તેમણે વકીલને પોતાનું વીલ બનાવી આપવા જણાવ્યું.] વકીલે વીલ તૈયાર કરવા તેમની મિલકતની વિગત પૂછી.



પેલા વિધુર ભાઈએ, જણાવ્યું," મારી પાસે પાંચ કરોડ રૂપિયા છે, પરંતુ મારી ઈચ્છા છેકે, મારી પત્ની ગુજરી ગયા પછી, છેલ્લા છ વર્ષથી હું ઘરની બહાર નીકળ્યો નથી અને મને હવોતો બધા ઓળખતા પણ નથી, તેથી મારું મૃત્યુ થાય ત્યારે, મારી પાછળ ક્રિયાકર્મ માટે રૂપિયા ચાર કરોડ વાપરીને, મારું નામ ઈતિહાસમાં, અમર થાય તેમ હું ઈચ્છું છું.'



વકીલે પૂછ્યું," અને બાકીના, રૂપિયા એક કરોડ નું શું? "



પેલા વિધુર ભાઈએ જણાવ્યું," બાકીના એક કરોડ રૂપિયા, મારી સાથે ફક્ત એક દિવસ માટે પણ લગ્ન કરવા તૈયાર થાય, તે સન્નારીને આપવા માંગું છું, આપ તેવાં સન્નારી મને શોધી આપો."



પેલા વકીલને ખૂબ ગુસ્સો આવ્યો,તેણે પેલા ભાઈને દબડાવીને, કાઢી મૂકતાં કહ્યું, " હું કાંઇ મેરેજબ્યુરો નથી ચલાવતો. જાવ અહીથી..!! ગૅટ આઉટ..!!"



પેલા ભાઈ વિલા મોંએ ત્યાંથી ચાલ્યા ગયા. જોકે, તેમના ગયા પછી આ કડકા,નવાસવા વકીલશ્રીને બહુ પસ્તાવો થયો. તેથી બીજે દિવસે સવારે તેમણે આ ભાઈની માફી માંગી, તેમને ફરીથી મળવા આવવાનું, જણાવવા ફૉન કર્યો.



જોકે, વકીલ સન્ન રહી ગયા, તે વિધુર ભાઈને ત્યાંથી ફૉન, આજ વકીલની પત્નીએ ઉઠાવી, ઠંડકથી વકીલશ્રીને જણાવી દીધું," મેં આ કરોડપતિ સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે, મારા લૉયર તમને, આપણા છૂટાછેડાનાં પેપર્સ પહોંચાડી દેશે."



" दोस्तों, कभी कभी ऍसा भी होता है।"

ગુજરાતી થાળી!!!

ગુજરાતી થાળીને આંતરરાષ્ટ્રીય સ્થાન, સ્વાદરસિયા ગુજરાતીઓ

જગતના સ્વાદ રસિયા (ખાઉધરા નહીં) લોકોમાં ગુજરાતીઓ પ્રથમ ક્રમે આવે. આટલી બધી વૈવિઘ્ય પૂર્ણ અને આટલી સંખ્યામાં વાનગીઓ જગતની કોઇ પ્રજા પાસે નહીં હોય. કડવા સિવાયના તમામ રસો જેની જીભેથી ટપકતા હોય અને રસરંજક ખાણું ખાવા સાવ સામાન્ય આરામગાહ (રેસ્ટોરાં) આગળ પણ લાઇન લગાવીને ઊભા હોય તો તે માત્ર ગુજરાતી હોઇ શકે.
ગુજરાતી લોકોની જમવાની ટેવ વિશિષ્ટ છે. ભર્યે ભાણે જમવાની આદતને લીધે ગુજરાતી થાળીએ આંતરરાષ્ટ્રીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગુજરાતી થાળીમાં ઓછામાં ઓછી બાર વાનગીઓ તો હોય જ. જેમ થાળીમાં વધુ વાનગી તેમ સમૃદ્ધિ વધુ. આથી અન્ય પ્રજાની વાનગીઓ નવ ઇંચના વ્યાસવાળી સપાટ ડીશમાં જમી શકાય.
જ્યારે ગુજરાતી થાળી બાર ઇંચના વ્યાસવાળી તો હોય જ, પરંતુ તેને કાંઠા પણ હોય અને તેમાં પાંચ-છ વાટકીઓ પણ હોય તેથી અન્નકૂટ ભરી શકાય. સર્વપ્રથમ તો થાળીમાં રોટલી કે ભાખરી કે પૂરી કે રોટલો કે પરાઠા કે પુરણપોળીમાંથી એક કે બે અગ્નિમાં શેકીને કે તેલમાં તળીને બનાવી શકાય તેવી વાનગી હોય જ. પછી વારો આવે શાકનો. બે જાતનાં શાક તો જોઇએ જ. એક રસાવાળું અને બીજું સૂકું. એવી રીતે બે કઠોળ પણ જોઇએ. દાળ અથવા કઢી-બેમાંથી એક ચાલે. પછી આવે ફરસાણ. ફરસાણ વિના જીભનો ચટાકો સંતોષાય નહીં. ફરસાણ પણ બે જોઇએ. એક તળેલું અને એક વઘારેલું.
ફરસાણ ખવાય ચટણી સાથે એટલે બે પ્રકારની ચટણી જોઇએ. એક તીખી અને એક ગળી. આમ તો ગુજરાતી રસોઇમાં દાળ, શાક અને ફરસાણમાં ઉપલક ગળપણ તો હોય જ. તેમ છતાં બે મીઠાઇ તો જોઇએ જ, તેમાં પણ દૂધના પાયાવાળી-શીખંડ, બાસુદી, ખીર- એક તો હોય જ.
ગળ્યું એટલે ગળ્યું, બીજું બધું બળ્યું. આ બધી વાનગીઓથી થાળ ભરાય પછી પાપડ, અથાણું, કચુંબર (સલાડ) તથા છાશ તો હોય જ.
કાઠિયાવાડી થાળી એ ગુજરાતી થાળીની જ એક બહેન કહી શકાય. તેમાં રોટલા, ભાખરી, ઢેબરાં, ચાનકી વગેરેમાંથી બે-ત્રણ વસ્તુ હોય. રોટલા કે થેપલાં સાથે માખણ ને ગોળ અનિવાર્ય. શાકમાં રિંગણનું ભડથું અનિવાર્ય. મીઠાઇમાં સુખડી, માલપુઆ કે લાડુ. બાકી બધું લગભગ સરખું. આ બંને પ્રકારની થાળીઓને ગીનીઝ બુક ઓફ રેકર્ડ્ઝ નોંધાવવી જોઇએ.
ગુજરાતીઓ માટે ભોજન એ માત્ર કેલરીની જરૂર પુરી કરવાનું સાધન નથી. ભોજન એ ઉત્સવનો એક ભાગ છે. ક્યારેક તો ભોજન પોતે જ ઉત્સવ બની જાય છે. ઠાકોરજીને ચડાવતા છપ્પન ભોગ કે અન્નકૂટ ખુદ એક ઉત્સવ છે. શિયાળામાં લીલાં શાકભાજી ભરપૂર પ્રમાણમાં આવે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી શાકોત્સવ યોજવામાં આવે છે.
અન્નને ઉત્સવ બનાવવામાં સુરતી લાલાનો જોટો ન મળે. નવેમ્બર -ડિસેમ્બર આવતા જુવારનો પોંક (આંધળી વાનીનો પોંક) ઉત્સવ બને. તાપી પાસે રાવટી તાણી પોંક પડાય. કમિંત બસો રૂપિયે કિલો. પોંક સાથે પોંકના ભજિયાં, લીંબુ-મરીની સેવ તથા તીખાતમતા મસાલાવાળી છાશ ખાવા લોકો નદીકાંઠે જ આ જમાવે. મોંઘવારીને હુરતી બોલીમાં સ્વસ્તીવચન સંભળાવતા પોંક ખાતા જાય.
પોંકોત્સવ એ સુરતનો વિશિષ્ટ અન્નોત્સવ છે. આવું જ ઘારી બાબતમાં છે. શરદપૂનમ પછીનો દિવસ- ચંદીપડવો એ જથ્થાબંધ ઘારી ખાવાનો દિવસ. લોકો ચંદીપડવાની રાતે ભૂંસુ ને ઘારી લઇ કોઇ નીરાંતવા (!) સ્થળે ચાલ્યા જાય અને લગભગ અડધી રાત સુધી ભુંસુ-ઘારી ખાધા કરે. સુરતમાં અન્નોત્સવ ન હોય એવી એક પણ મોસમ નથી. સુરતનું જમણ ને કાશીનું મરણ.
સુરતીલાલને ખાવાના શોખમાં કોઇ ન પહોંચે. પણ બીજાં શહેરો પણ પાછાં પડે તેવાં નથી. નવસારીનું કોલ્હાનું અથાણું- માછલી, ઝીંગા, ચીકન, ડ્રાયફૂટ, કેરી- ખાસ સરકામાં બને અને ફાંઇવ સ્ટાર હોટેલ અને પરદેશ જાય. વલસાડ અને ઉદવાડાનાં પારસી ધાન-સાક પ્રખ્યાત.
ઉત્તર મસાલા, લીંબુ-મરી, ચોકલેટ, પાઇનેપલ, મેંગો વગેરે દસેક જાતની સિંગ મળે. વડોદરામાં સવારે સવારે પાંચ રૂપિયામાં પુનામીસળ ખાવા લોકો નીકળી પડે. પુનામાં પુનામીસળ નથી મળતું. તેવી જ રીતે સોલાપુર (શોલાપુર)માં સોલાપુરી ચેવડો નથી મળતો. માત્ર વડોદરામાં જ મળે છે.
ભાવનગરને ગાંઠિયાનું ગામ કહેવાય છે. નરસી બાવાના મરીવાળા ગાંઠિયા (મૂળ-અંગુઠિયા) નિકાસ થાય છે. એવી જ બીજી ચીજ છે બદામપુરી અને કાજુપુરી. ચારસો રૂપિયે કિલો. વિકલ્પે ભાવનગરના સરેરાશ લોકો બદામપુરી પણ ખાય છે. જો ભાવનગર ગાંઠિયાનું ગામ છે તો રાજકોટ ચેવડાનું ગામ છે.
આજથી પચાસ વર્ષ પહેલાં જયુબિલી બાગના દરવાજે લાકડાની કેબિનમાં ગોરધનભાઇ ચેવડો ને ચટણી વેચતા. આજે તો તેમનાં સગાં-વહાલાંથી બધી થઇને ચાલીસેક ચેવડા અને ચટણીની દુકાનો છે. ચેવડા કરતાં ચટણી વધુ વેચાય છે તેથી ચેવડાના ભાવે ચટણી મળે છે - ચેવડા ઉપર મફત મળતી નથી.
તમને ભૂખ લાગી હોય ને ખીસામાં પૈસા ન હોય તો ઠોંસાગલીમાંથી નીકળવું. બધી જ દુકાનો ભગત પેંડાવાળાની. કોઇક જયસીયારામ ભગત, કોઇ જૂના ભગત વગેરે. પંદર-વીસ પેંડા ચાખતાં ગલી પસાર થઇ જાય. એવી જ રીતે ખંભાતનું હલવાસન અને સુરેન્દ્રનગરના સિકંદરની સિંગ અને રેવડી પણ જાણીતાં. ગુજરાતનું એક પણ નગર એવું નથી જ્યાં કોઇને કોઇ ખાવાની ચીજ પ્રખ્યાત નથી. દુકાન પહોળી હોય કે સાંકડી, પણ ચીજ મળે છે ફાંકડી.
એક સમય હતો કે ગુજરાતમાં બહારનું ખાવાનું વજર્ય ગણાતું. મરજાદી કુટુંબો તો માત્ર પોતાના કૂવાનું પાણી જ પીતા. બીજા પાણીથી અભડાઇ જવાય. બહારગામ જવાનું થાય તો અભડાય નહીં તેવું (દૂધમાં રાંધેલું) ભાથું લઇ જવાનું. ચુસ્તપણે ધાર્મિક કુટુંબો કાંદા-લસણ તો શું, બહારનું કોઇ પણ રાંધેલું ભોજન ન ખાતા.
મારાં દાદીમા બહારનાં ફળ ખાવા દેતાં, બહારની ચોકલેટ-પીપર ખાઇએ તો દંડ રૂપે સાંજના વાળુમાં દૂધ કે ઘી-બેમાંથી એક ન ખાવાની સજા થતી. ચોકલેટના વિકલ્પે ઘેર સુખડી બનતી. સરકારી નોકરી કરતાં લોકોને નોકરીના ભાગ રૂપે પ્રવાસે જવાનું થાય તો કાચું સીધું લઇને જતા અને જ્યાં રોકાય ત્યાં જાતે પકાવીને ખાતા.
હજી પણ આપણે ત્યાં એવાં મરજાદી કુટુંબો છે જે નોનવેજ મળતું હોવાથી તે ગલીમાંથી પસાર થતાં નથી. ડુંગળી-લસણ ખાતા નથી. ચોમાસામાં કંદ ખાતા નથી. દારૂ અને માંસથી પાપ લાગે અને તે લેવાથી નરકમાં જવાય તેવી માન્યતા આજે પણ જીવીત છે.
આ વાતને હજી ૬૦-૬૫થી વધુ વર્ષો થયાં નથી. વિદ્યાર્થીઓ ભણવા અને યુવાનો નોકરીએ બહારગામ ગયા અને ૧૯૬૦ પછી ખાનપાનની ચુસ્તતા તૂટવા લાગી. તેમાં પણ ખાસ કરીને જાહેર સ્થળે રસોઇ કરનારની જ્ઞાતિ જાણવા મુશ્કેલ બની પછીથી ખાન-પાનના જ્ઞાતિગત નિયંત્રણો તૂટી ગયાં.
૧૯૬૦ પછી રસોડું બદલાયું. આજે ગુજરાતી ગૃહિણીનું રસોઇઘર ગેસ, ઓવન, મિક્સર, જ્યુસર, ઘંટી, ફ્રીઝ વગેરે તમામ ઉપકરણોથી સજ્જ છે. સરેરાશ ગુજરાતી દીવાનખંડ કે શયનખંડની સજાવટ કરતાં રસોઇકક્ષની સજાવટમાં વધારે પૈસા ખર્ચે છે.
ગુજરાતીઓના ખાવાના ચટાકા એટલા વિપુલ છે કે ગુજરાતી આઇટેમ્સની કોઇ પણ યાદી અધૂર જ રહેવાની. લગભગ એકસો જાતનાં ભજિયાં અને એકસો જાતના આઇસક્રીમ (તેમાં વળી આઇસક્રીમનાં ભજિયાં) મળતાં હોય ત્યાં સંપૂર્ણ ખાદ્ય યાદી કેવી રીતે બને!
પરપ્રાંતની કે પરદેશની ગુજરાતમાં બનતી વાનગીનું ગુજરાતીકરણ કરવામાં પણ ગુજરાતીઓ એક્કા છે. ચાઇનીઝ ભેળ, જૈન પીઝા, માખણ કે ચીઝના મસાલા ઢોસા કે ઉત્તપમ, વેજિટેરિયન તથા કાંદા વિનાની બર્ગર તેલમાં તળેલા પરાઠા વગેરે વસ્તુઓ જો તે તે વિસ્તારના મૂળ નામે મૂળ લોકોને ખવરાવવામાં આવે તો તેઓ આઘાત પામે.
વળી દરેક વસ્તુમાં ખાંડ તો ખરી જ. સ્વભાવની મીઠાશ જરૂરી છે, ખાદ્યાન્તની મીઠાશ Jher છે, આ વાત ગુજરાતીઓ સમજે તો તેમનાં અડધા દર્દોનું આપોઆપ નિવારણ થાય.

અમદાવાદ હોટલ

હમણા અમદાવાદ મારા મિત્રને ત્યાં ગ્યોતો.મારો મિત્ર મને એક હોટલમાં જમવા લઈ ગ્યો.
હોટલમાં બે વિભાગ હતા - .સી વાળો વિભાગ અને - નોન .સી વાળો વિભાગ
મારા મિત્રએ મને પુછ્યુ કયા વિભાગમાં જાવ સે ?
મે કિધુ .સી વાળા વિભાગમાં જવાયને !
અંદર ગ્યા તો પાછા બે વિભાગ , -મિઠાઈનો વિભાગ અને - ફરસાણનો વિભાગ
મારા મિત્રએ મને પુછ્યુ કયા વિભાગમાં જાવ સે ?
મે કિધુ ફરસાણ તો દરોજ ખાતા હોય, તો મિઠાઈ વાળા વિભાગમાં જવાય ને !
અંદર ગ્યા તો પાછા બે વિભાગ, - શુધ્ધ ઘી અને -વનસ્પતિ ઘી
મારા મિત્રએ મને પુછ્યુ કયા વિભાગમાં જાવ સે ?
મે કિધુ તો શુધ્ધ ઘી ના વિભાગમાં જવાય ને !
અંદર ગ્યા તો પાછા બે વિભાગ -ઉધાર અને - રોકડા
મારા મિત્રએ મને પુછ્યુ કયા વિભાગમાં જાવ સે ?
મે કિધુ ઉધારમાં જવાય ને !
દરવાજો ખોલી અંદર ગ્યા ,તો સીધા હોટલની બારે
ત્યારે બારે મોટુ બોર્ડ માર્યુતુમહેરબાની કરીને બીજીવાર આવવુ નહી

એક અનોખું કાવ્ય

એવુય નથી કે વતન માટે મને પ્રિત નથી
હુ એય જાણૂ છુ કે અમેરીકા રહેવામા મારુ હીત નથી
ઇચ્છા થાય છે અમેરીકાના અનુભવો લખુ તમને
શુ લખુ ? અહીયા સ્ંસ્કાર કે સ્ંસ્ક્રુતિ સ્ંકલિત નથી.
મને ઘણૉ થાય છે વતન છોડ્યાનો અફ્સોસ હવે,હિમાલય છોડીને સ્નોના ઢગલા મેળવામા કાઇ જીત નથી.
અમેરીકન રેપ સોંગ સાંભળીને કાન ને એઠા કરવાના અહીંયા નરસિંહ મીરા ના પ્રભાતિયા કે ભજન સ્ંગિત નથી.
સ્ંતાનો ના ઉછેરીકરણ નોય અહીંયા હોય છે હિસાબ કિતાબ
અહીયા ભરતીય માબાપ જેવુ ઉદારીકરણ ગણિત નથી
બદલાતી ફેશનના નખરા અહીંયા હોય છે નિત્ય નવા
સ્ત્રીના બાહ્ય સૌદર્ય જેટ્લુ આંતરીક સૌદર્ય ચકચકીત નથી.
પ્રેમ , વિસ્વાસ અને અનુકુલીન આઘરીત સ્ંબઘો નથી
ઇન્ડીયન કલ્ચર જેવુ લગ્નજીવન અહીંયા વ્યવસ્થિત નથી
દુઃખી થવાની ઘણીજ રીતો હશે દુનિયા મા હે પ્રભુ
મનને મારીને જીવ્યાકરવુ એ સારી રીત નથી

હવે વાંચો એનો જડબેસલાક  જવાબ

જે દેશનો રોટલો ખાવો છે-તેને ગાળો ભાંડવી ઠીક નથી.
વતનને તરછોડી આવ્યા છો જાતે,હવે રોદડાં રડવા ઠીક નથી.
લો કટના બ્લાઉઝ અને ખુલ્લા પેટ ગુજરાતમાં જોયા પછી,
 
અમેરિકાની સંસ્કૃતિની વાતો કરવી ઠીક નથી.
સરસ્વતી મંદીરોમા, જયાં વિદ્યાર્થીનીઓ  સેઇફ નથી,ત્યાં રોજે સંસ્કૃતિના બણગાં ફૂંકવા ઠીક નથી.
બોલિવુડના બિભત્સ ન્રુત્યોને રોજ ટીવી પર જોયા પછી,મનમાં ગમતી-અમેરિકાની ફેશન વખોડવી ઠીક  નથી.
જયાં ઘરડાંઘર નીત નવા બંધાતા હોય ત્યાં,ભારતિય માબાપોની સેવા કરતાં શ્રવણોની વાતો ઠીક નથી.
મહારાજો ,બાબાઓ,લાલુઓ, ઠાકરેઓ-અને ભાઇઓ નો.
 
દેશ છોડી આવ્યા પછી ,હવે ઓબામાને ગાળો દેવી ઠીક નથી.
જે માને તમે તરછોડીને આવ્યા છો તે હજુ ત્યાં જ છે.
પાછા પહોંચી જાવ,કોઇ રોકે નહી, મગર આ ફોગટના આંસુ ઠીક નથી.